શ્રી શક્તિસિંહ ગોહિલનું કાર્યાલય
રાષ્ટ્રીય પ્રવક્તા, એ.આઈ.સી.સી અને બિહાર પ્રભારી
અખબારીયાદી તા.૨૭.૦૯.૨૦૧૮
ગુજરાતના જાહેર જીવનમાં મૂઠી ઉચેરા માનવી કહી શકાય તેવા સ્વ. શ્રી મનોહરસિંહજી જાડેજા (દાદા) ના અવસાન થી ક્યારે ન પૂરી શકાય તેવી ખોટ પડી છે. સ્વ. મનોહરસિંહજી ને શ્રધાંજલિ આપતા કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા અને બિહારના પ્રભારી શક્તિસિંહ ગોહિલે જણાવ્યું હતું કે સ્વ. મનોહરસિંહજી જાડેજા કે જેમને હંમેશા માનવાચક “દાદા” નામથી હું સંબોધન કરતો રહ્યો હતો અને જેમના સાથે એક પારિવારિક સબંધ પેઢીઓ થી રહ્યો છે. તેઓ મારા સંસદીય પ્રણાલિકાના ઘડતરમાં મુખ્ય આધાર સ્થંભ અને માર્ગદર્શક રહ્યા હતા. મંત્રી મંડળમાં એક સાથી મંત્રી તરીકે કે વિધાનસભામાં એક સાથી સભ્ય તરીકે તેમના સાથે કામ કરવાથી મને જે અનુભવનું ભાથું મળ્યું છે તે ક્યારે ભૂલી શકાય નહી. સ્વ. દાદાની વહીવટી પકડ અને કાર્ય કરવાની કાર્યકુશળતા જન નેતાઓ માટે એક માર્ગદર્શિકા અને પ્રેરણારૂપ હંમેશા બની રહેશે. સ્વ. દાદા એક ઉત્તમ કવિતાઓના રચિયેતા પણ હતા.

——————————————————————————————————————————-